મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિન્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખીને શિવસેનાને સમર્થન ના આપવાની અપીલ કરી છે. આ વાતને લઇને હવે શિવસેનાના મહત્વકાંક્ષાઓ પર પાણી ફરી વળે એમ છે.
શિવસેનાને સમર્થન ઘાતક સાબિત થશેઃ જમીયત ઉલેમા-એ-હિન્દ
જમીયત ઉલેમા-એ-હિન્દએ કહ્યું કે, કોંગ્રેસ તરફથી શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે. સોનિયાને લખેલા એક પત્રમાં જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ અરશદ મદનીએ લખ્યું કે, ‘’હું આપણુ ધ્યાન મહારાષ્ટ્રની ખરાબ રાજનીતિ તરફ આકર્ષિત કરવા માંગુ છુ, અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે શિવસેનાને સમર્થન આપવા માટે વિચારી રહ્યાં છો, આ કોંગ્રેસ પાર્ટી માટે ઘાતક અને ખતરનાક બની શકે છે.’’
જમીયત ઉલેમા-એ-હિન્દના પત્ર બાદ શિવસેના રાજનીતિમાં બરાબરની ફસાઇ ગઇ એવુ લાગી રહ્યુ છે. આ પત્ર શિવસેનાની મુખ્યમંત્રીની ખુરશી લેવામાં આડે આવી શકે છે.