Sonali Phogat Death: ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે.  ભાજપે તેમને હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. સોનાલીની સામે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ ઉમેદવાર હતા. બીજેપીના હરિયાણા યુનિટે પણ તેમને મહિલા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.


સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. સોનાલી ફોગાટે સોમવારે રાત્રે જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ટિકટોક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થયેલી સોનાલીએ રિયાલિટી શો બિગ બોસની 14મી એડિશનમાં ભાગ લીધો હતો.


ટિકટોક બાદ ઈન્સ્ટાગ્રા પર હતી એક્ટિવ



  • બિગ બોસ 14 ની સ્પર્ધક અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સોનાલી ફોગાટ એકવાર તેના પતિના મૃત્યુ પછી પ્રેમમાં પડી ગઈ હતી. તેણે કહ્યું કે તે વ્યક્તિએ તેના જીવનમાં મોટો બદલાવ લાવ્યો હતો. સોનાલી ફોગાટ એક સમયે ટિક-ટોક પર તેના વીડિયો બનાવતી હતી, પરંતુ ટિક-ટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારથી તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય હતી.

  • સોનાલી લગ્ન પહેલા મોડલિંગ અને ટીવી એન્કરિંગ કરતી હતી. સોનાલીએ તાજેતરમાં તેના મોડલિંગ દિવસોની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.  

  • સોનાલી ફોગાટ 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. જોકે, તેણી ચૂંટણી હારી ગઈ હતી.

  • સોનાલી ફોગાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો તેના મોડલિંગ દિવસોની છે. સોનાલીએ 2006માં 'હિસાર દૂરદર્શન'માં એન્કરિંગ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

  • સોનાલી એન્કરિંગની સાથે મોડલિંગ પણ કરતી હતી. બે વર્ષ બાદ 2008માં તેઓ ભાજપમાં જોડાયા.

  • સોનાલી ફોગટે સંજય સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં સંજયનું હરિયાણામાં તેના ફાર્મહાઉસમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.

  • સોનાલીને યશોધરા ફોગટ નામની પુત્રી પણ છે. સોનાલીની દીકરી મુંબઈમાં જ ભણે છે.

  • બિગ બોસમાં જતા પહેલા સોનાલીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એક સરકારી અધિકારીને ચપ્પલ વડે મારતી જોવા મળી હતી.

  • સોનાલી ફોગટ બિગ બોસના ઘરની અંદર અલી ગોની સાથેના તેના સંબંધોને કારણે સમાચારમાં હતી અને તેણે ઘરમાં અલી ગોની માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.

  • બિગ બોસમાં સોનાલીએ રાહુલ વૈદ્યને કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ તેના જીવનમાં આવી વ્યક્તિ આવી હતી.

  • તે આ માણસ સાથે પોતાનું જીવન વિતાવવા માંગતી હતી. તેણીએ જણાવ્યું હતું કે તેણી તેના પતિના મૃત્યુ પછી ભાંગી પડી હતી અને તે વ્યક્તિએ તેને ટેકો આપ્યો હતો.

  • સોનાલીએ જણાવ્યું હતું કે કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો ન હતો અને તેણે પોતે જ તે વ્યક્તિથી દૂરી લીધી હતી.