સોનિયા ગાંધીનું સરકાર પર નિશાન, કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં, તે દેશનું મોં બંધ રાખવા માંગે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2020 03:53 PM (IST)
મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને બાબાસાહેબ આંબેડકર આપણા પૂર્વજોમાંથી કોઈએ પણ કલ્પના નહીં કરી હોય કે દેશે આઝાદીના 75 વર્ષ બાદ આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફી એક વખત સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં છે, લોકતંત્ર નષ્ટ થઈ રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે ભારતના લોકો, આપણા આદિવાસી, મહિલાઓ, યુવા તેમના મોં બંધ રાખે. તેઓ દેશનું મોં બંધ રાખવા ઈચ્છે છે. સત્તા દેશમાં નફરતનું ઝેર ફેલાવી રહી છે. જેની સાથે તેમણે કહ્યું, જ્યારે આપણું લોકતંત્ર અને બંધારણ ખતરામાં છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને બાબાસાહેબ આંબેડકર આપણા પૂર્વજોમાંથી કોઈએ પણ કલ્પના નહીં કરી હોય કે દેશે આઝાદીના 75 વર્ષ બાદ આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. US Election 2020: ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસમાં ટોચના પદ પર બેસવાની નથી કાબેલિયત, ઈવાન્કા ટ્રમ્પ છે સારી