નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના ખતરનાક સમય શરૂ થયો છે, દેશના દરેક રાજ્યમાં હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે નવા આંકડા જાહેર કર્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1600ને પાર પહોંચી ગઇ છે.



દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 120 થઇ થઇ ગઇ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકામાં 101, ઉત્તરપ્રદેશમાં 66, રાજસ્થાનમાં 93, તેલંગાણામાં 92, ગુજરાતમાં 74, મધ્યપ્રદેશમાં 66, જમ્મુ-કાશ્મીરમાં 55, હરિયાણામાં 43, પંજાબમાં 41, આંધ્રપ્રદેશમાં 40, પશ્ચિમ બંગાળમાં 27, બિહારમાં 21, ચંદીગઢમાં 13, લદ્દાખમાં 13, અંડમાન-નિકોબારમાં 10, છત્તીસગઢમાં 8ર, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, હિમાચલ પ્રદેશમાં 3, ઓડિશામાં 3, આસામા, ઝારખંડ, મણીપુર, મિઝોરમ અને પાંડુચેરીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1-1 છે.

હાલના રિપોર્ટ પ્રમાણે દેશમાં કોરોનાથી સંક્રમિતો લોકોની સંખ્યા 1613 છે, જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યો છે, અને 148 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.