નવી દિલ્લી: બીજેપીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રતન તાતા પર નિશાન સાધતા પ્રધાનમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે. સ્વામીએ પીએમને સીબીઆઈ, ઈડી અને સેબીના અધિકારીઓની એક ટીમ બનાવવાની માંગ કરી છે જેમાં તપાસ કરવામાં આવે. સ્વામીનું કહેવાનું છે કે એર એશિયા અને વિસ્તારા એર લાઈન્સના ઈંડિયન પાર્ટનર બન્યા બાદ તાતાએ ભારતના કાનૂનને તોડ્યૂ છે.


આ પહેલા તાતાથી હટાવવામાં આવેલા ચેરમેન સાઈરસ મિસ્ત્રીએ કંપનીની ગરબડો વિશે એક ચીઠ્ઠી લખી હતી, સ્વામીએ આ પત્રનો હવાલો પણ આપ્યો છે. સ્વામીએ મિસ્ત્રીના હવાલાથી કહ્યું છે કે પ્રથમ દષ્ટ્રીએ ટાટા કંપની અપરાધમાં ભાગીદાર છે. પરંતુ મિસ્ત્રીના પત્ર લખ્યા બાદ તાતાએ તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

સ્વામીએ પીએમને લખેલા પત્રમાં વિભિન્ન ધારાઓને ઉલ્લેખ કર્યો છે. જેમા ધારા 120 બી,403,405 ની વાત કરવામા આવી છે. જેમાં કોન્સિપિરેસી, ચીટિંગ અને પબ્લિક ફંડના દૂરઉપયોગનો કેસ ચાલી શકે છે.