સુન્ની વકફ બોર્ડે અયોધ્યામાં બાબરી મસ્જિદના બદલે નવી મસ્જિદની વાત કરવામાં આવી છે. મસ્જિદ ટ્રસ્ટને ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન નામ આપવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન જ સરકાર તરફથી મળેલી જમીન પર મસ્જિદ અને અન્ય પ્રોજેક્ટ પુરા કરશે.
24 ફેબ્રુઆરીના રોજ સુન્ની વકફ બોર્ડની બેઠકમાં ફાઉન્ડેશનના સભ્યોના નામોની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ફાઉન્ડેશનની જાહેરાતની સાથે જ મસ્જિદ માટે સરકાર તરફથી મળેલી જમીનને લઇને નિર્ણય થશે. વકફ બોર્ડના સૂત્રોના મતે થોડા સભ્યો મસ્જિદ માટે જમીન લેવાના વિરોધમાં છે. આ બેઠકમાં આ વિવાદનો ઉકેલ લાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ટ્રસ્ટમાં સાત સભ્યો બનાવવામાં આવી શકે છે. સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ જ આ ફાઉન્ડેશનના અધ્યક્ષ રહેશે.