સુપરસ્ટાર રજનીકાંતે રાહુલના રાજીનામા અંગે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
abpasmita.in | 29 May 2019 10:13 AM (IST)
રજનીકાંત કાંતે પત્રકારોને સંબોધતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જીત એકલ નેતૃત્વની જીત છે અને મોદી. આ જીત એક ચમત્કારિક નેતાની જીત છે
ચેન્નાઇઃ તામિલ સુપરસ્ટાર રજનીકાંતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવી, રજનીકાંતે નરેન્દ્ર મોદીને ચમત્કારીક નેતા ગણાવતા બીજેપીની જીતનું શ્રેય તેમના નેતૃત્વને આપ્યુ હતુ. રજનીકાંત કાંતે પત્રકારોને સંબોધતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જીત એકલ નેતૃત્વની જીત છે અને મોદી. આ જીત એક ચમત્કારિક નેતાની જીત છે. જ્યારે પત્રકારોએ રજનીકાંતને રાહુલના રાજીનામા અંગે સવાલ કર્યો તો તેમને કહ્યું કે, રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની જરૂર નથી, કેમકે કોઇ એક લહેર હોય ત્યારે તેની સામે તરવુ યોગ્ય નથી. કેમકે કોઇ તરી શકતુ નથી. હું એમ નથી કહેતો કે રાહુલમાં નેતૃત્વના ગુણ નથી, પણ કોંગ્રેસ પાર્ટીએ સંભાળીને આગળ વધવુ જોઇએ, અહીં કેટલાય વરિષ્ઠ લોકો છે.