Supreme Court: સુપ્રીમ કોર્ટે બુધવારે (29 જાન્યુઆરી, 2025) રાજધાની દિલ્હી સહિત છ મહાનગરોમાં મેન્યુઅલ સ્કૈવેજિંગ એટલે કે હાથથી સફાઈ અને મેન્યુઅલ સીવર સફાઇ પર પ્રતિબંધ મુક્યો હતો. જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને અરવિંદ કુમારની બેન્ચે નિર્ણયમાં કહ્યું હતું કે અમે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ મેટ્રોપોલિટન શહેરોમાં મેન્યુઅલ સીવર સફાઇ અને મેન્યુઅલ સ્કેવેંજિંગ પર પ્રતિબંધ મુકી રહ્યા છીએ.
લાઈવ લોના રિપોર્ટ અનુસાર ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાયેલ સોગંદનામામાં મેન્યુઅલ સ્કેવેંજિંગ અને મેન્યુઅલ ગટર સફાઈ નાબૂદ કરવા અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ છ મહાનગરોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ દ્વારા જણાવવામાં આવશે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને ગટર સફાઈ કેવી રીતે અને ક્યારે બંધ કરવી. આ માટે કોર્ટે 13 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.
અરજીમાં આ માંગ કરવામાં આવી હતી
આ અરજીમાં ડૉ. બલરામ સિંહે કહ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેંજિંગના રોજગાર ડ્રાઇ શૌચાલયના નિર્માણ અધિનિયમ, 1993ની સાથે મેન્યુઅલ સ્કેવેન્જર્સના રૂપમાં રોજગાર પર પ્રતિબંધ અને પુનર્વાસ અધિનિયમ, 2013ના પ્રાસંગિક જોગવાઇઓને અસરદાર તરીકે લાગુ કરવાની માંગ કરાઇ હતી. અમે આદેશો આપી આપીને કંટાળી ગયા છીએ પણ હજુ સુધી કોઈ તેમનું પાલન કરતું નથી.
કેન્દ્રને 11 ડિસેમ્બર, 2024ના મળ્યા હતા નિર્દેશ
ગયા વર્ષે 11 ડિસેમ્બર, 2024ના રોજ બેન્ચે કેન્દ્ર સરકારને 20 ઓક્ટોબર, 2023ના મુખ્ય આદેશનું કેટલી હદ સુધી પાલન કરવામાં આવ્યું છે તે શોધવાનો નિર્દેશ આપ્યો હતો. આ માટે 2 અઠવાડિયાની અંદર સંબંધિત રાજ્યોના હિસ્સેદારો સાથે કેન્દ્રીય દેખરેખ સમિતિની બેઠક બોલાવવા કહેવામાં આવ્યું હતું. આ પછી તેમને સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવાનું પણ કહેવામાં આવ્યું. ત્યારબાદ કેન્દ્રએ એક સોગંદનામું દાખલ કર્યું જેમાં જણાવાયું હતું કે દેશના 775 જિલ્લાઓમાંથી 456 જિલ્લાઓમાં હવે હાથથી મેલું ઉપાડવાની પ્રથા બંધ છે. આ પછી જ્યારે બેન્ચે દિલ્હી વિશે માહિતી માંગી ત્યારે કહેવામાં આવ્યું કે અત્યાર સુધી અહીં આ આદેશનું પાલન કરવામાં આવ્યું નથી.