Arvind Kejriwal bail judgment: સુપ્રીમ કોર્ટે ગુરુવાર (5 સપ્ટેમ્બર 2024)ના રોજ દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં 10 સપ્ટેમ્બર 2024ના રોજ ચુકાદો આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈએ લગભગ બે વર્ષ સુધી તેમની ધરપકડ કરી નહોતી અને જ્યારે ઈડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા ત્યારે 26 જૂને ધરપકડ કરી. તેમના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે ધરપકડ પહેલાં સીબીઆઈએ તેમને કોઈ નોટિસ આપી નહોતી.
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, જાણો ક્યારે આવશે આદેશ
gujarati.abplive.com | 05 Sep 2024 04:15 PM (IST)
Kejriwal bail case update: અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, જાણો ક્યારે આવશે આદેશ
અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો)