ન્યૂયોર્ક: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ શનિવારે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જ્યાં 26મી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે  સુષમા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય મહાસભાના 71માં સેશનને સંબોધશે. આ સંબોધનમાં પાકિસ્તાનને જવાબ આપે અને પાકિસ્તાન તરફથી જમ્મૂ-કશ્મીરમાં થતી ઘૂસણખોરી અંગેનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે યુએનની સામાન્ય સભામાં થોડા દિવસ પહેલા પોતાની સ્પીચમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે આ સેશનમાં આતંકી બુરહાન વાનીને  કશ્મીર યુવા ગણાવ્યો હતોઅને ભારત વિરૂદ્ધ જુઠ્ઠાણા ફેલાવ્યા હતા.