એઇમ્સથી મંત્રાલય ચલાવી રહ્યા છે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, આમ કરી રહ્યા છે લોકોને મદદ
abpasmita.in | 03 Dec 2016 04:37 PM (IST)
નવી દિલ્લી: દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હાલ એમ્સમાં પોતાની કિડની ખરાબ હોવાના કારણે ભર્તી છે અને તેમને કિડની ટ્રાંસપ્લાંટ કરવાની છે. પરંતુ આ સમયે પણ સુષ્મા સ્વરાજે પોતાનું કામ કરવાનું નથી છોડ્યું અને તે હોસ્પિટલથી લોકોની મદદ કર રહી છે. હોસ્પિટલમાંથી જ સુષ્મા સ્વરાજે સોશ્યલ મીડિયા સાઈટ પર કેટલાક એવા ટ્વીટ કર્યા છે જે જણાવે છે કે તે લોકોની મદદ માટે તૈયાર છે. પછી ભલે તે દેશના લોકો વિદેશમાં હોય કે વિદેશના લોકો આપણા દેશ ભારતમાં હોય તેમને કોઈપણ તકલીફ પડશે તો તેમને તે પહેલા મદદ કરશે. જણાવીએ કે સુષ્મા સ્વરાજ કઈ રીતે લોકોની મદદ કરી રહ્યા છે. સુષ્મા સ્વરાજે દુબઈમાં ફસાયેલા એક ભારતીયને લઈને 30 નવેંબરે ટ્વીટ કરી તે ભારતીય સમસ્યા દૂર કરવાનું કહ્યું હતું. તેમણે આ બાબતે દુબઈમાં ભારતીય એંબેસી પાસે રિર્પોટ પણ માંગી હતી.