DGCA On International Flights: દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ (કોમર્શિયલ પેસેન્જર સર્વિસ) પર પ્રતિબંધ  31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફ્લાઈટ્સ પર પ્રતિબંધની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર  નહીં થાય. સર્ક્યુલરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ હવાઈ માર્ગો પરની પરિસ્થિતિ અનુસાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને મંજૂરી આપી શકાય છે.



 







ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જાહેરાત કરી હતી કે 15 ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જોકે ફ્લાઇટ્સ કયા સમય સુધીમાં સ્થગિત કરવામાં આવી છે તેની જાહેરાત કરવામાં આવી નથી. 26 નવેમ્બરના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે 15 ડિસેમ્બરથી ભારતમાં આવતી-જતી  તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સામાન્ય રીતે સંચાલિત રહેશે. 


કોવિડ-19 મહામારીના કારણે 23 માર્ચ 2020 થી ભારતમાં આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, ગયા વર્ષે જુલાઈથી, લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.


કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં એક નવો ભય પેદા કર્યો છે. WHOએ આ વેરિઅન્ટને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' ગણાવ્યું છે અને તમામ દેશોને સાવચેત રહેવા જણાવ્યું છે. આ કારણે ભારત સાવચેતીના પગલા તરીકે આવા પગલાં લઈ રહ્યું છે. એર બબલ હેઠળ જારી કરાયેલી ફ્લાઇટ્સ અંગે પણ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ સિવાય જે દેશો જોખમની શ્રેણીમાં આવે છે, તેમને ત્યાંથી આવનારા મુસાફરોની વધુ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.


ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 12માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. જોકે તેમ છતાં દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે.  



કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9419 નવા કેસ નોંધાયા છે અને 159 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8251 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા  94.742 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4039  કેસ નોંધાયા છે અને 112 સંક્રમિતોના મોત થયા છે.