વાસ્તવમાં તેલંગણાના મંત્રી કેટી રામા રાવ, અટેલા રાજેન્દ્ર, તલસાની શ્રીનિવાસ યાદવ અને અન્યએ હૈદરાબાદમાં મંચ પર ચિકન ખાધુ હતું જેથી એ અફવાને ખત્મ કરી શકાય કે કોરોના વાયરસ ચિકન અને ઇંડાના કારણે ફેલાય છે.ન્યૂઝ એજન્સી એએનઆઇએ તેની કેટલીક તસવીરો જાહેર કરી છે.
મંચ પર ચિકન ખાઇને મંત્રીઓએ લોકોને એ અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ઇંડા અને ચિકન ખાવાથી કોરોના વાયરસ ફેલાય છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ચીનમાં 2788 લોકોના મોત થયા છે.