નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ હાથ લાગ્યા નથી. એક અધિકારીએ કહ્યું કે, 9આરઆર, 18બીએન સીઆરપીએફ અને એસઓજી કુલગામની એક સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતું. માર્યા ગયેલ આતંકીની ઓળખ થઇ શકી નથી.


નોંધનીય છે કે એક સપ્તાહ અગાઉ કુલગામમાં સુરક્ષા દળો સાથે થયેલા અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા બંન્ને આતંકવાદી હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠન સાથે જોડાયેલા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એક ઝાકીર મૂસા પણ હતો જેને સુરક્ષા દળો શોધી રહ્યા હતા.