શ્રીનગરમાં CRPF કેંપ પર આતંકી હુમલો, 6 જવાન ઘાયલ, 1 કમાંડર શહીદ
abpasmita.in | 15 Aug 2016 09:47 AM (IST)
શ્રીનગર: એક બાજુ દેશ 70મો સ્વતંત્રતા દિવસના જશ્નમાં ડૂબેલો છે, ત્યાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 6 જવાન ઘાયલ થઈ ગયા છે, જ્યારે એક કમાંડર શહીદ થયો છે. શ્રીનગરના નૌહટ્ટામાં થયેલા આ આતંકી હુમલામાં 6 જવાનો સિવાય એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ હુમલામાં ભારતીય સૈન્યએ બે આતંકીઓને ઠાર મારી દીધો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ એક ઘરમાં છૂપાયેલા હતા. બન્ને તરફથી કરવામાં આવેલ ગોળીબાર હાલ બંધ છે. જ્યાં બીજી બાજુ ઉરી સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 2 આતંકીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે. આ હુમલામાં શહીદ થયેલ એક જવાનનું નામ પ્રમોદ કુમાર સીપીઆરએફનો કમાંડર હતો.