નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની પણ હિંદુ માળખા પર બની હતી એવા ચુકાદા પછી સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અહીં વિવાદાસ્પદ માળખાની નીચે પૌરાણિક હિંદુ માળખું મળે તેના કારણે હિંદુઓનો દાવો સાચો ના માની શકાય.

સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી હિંદુઓ માટે ચિંતાજનક છે કેમ કે હિદું પક્ષકારોનો દાવો છે કે, હિંદુ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. જ કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ઈસવી સન 1856 પહેલાં હિંદુઓ વિવાદાસ્પદ ઢાંચાના અંદરના ભાગમાં પૂજા કરતા હતા.