નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજીજુની સરળતા અને સાદગી સામે આવી છે. હાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સેના હાઈ એલર્ટ ઉપર છે. ત્યારે કિરણ રીજીજુ પણ કાશ્મીરના પ્રવાસે છે.


આ દરમિયાન ભારે બરફ વર્ષા થતાં તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કારમાંથી નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડાં વીડિયો દ્વારા બતાવ્યું હતું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે. 


આખી ઘટના અંગે ટ્વિટ કરતા કેન્દ્રીય મંત્રી રિજીજુએ કહ્યું હતું કે, સરહદ વિસ્તારનું જીવન સરળ નથી. ભારે હિમવર્ષાના અવરોધ વચ્ચે અમે સેલા ટનલથી આગળ વધ્યાં હતાં. આ સેલા ટનલનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો છે અને થોડા વર્ષો પછી તવાંગ જવાનો રસ્તો સરળ બની જશે.