નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1800 નજીક પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 52,500ને હજારને વટાવી ગઈ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 52,952 પર પહોંચી છે. 1782 લોકોના મોત થયા છે અને 15,266 લોકો સાજા થઈ ગયા છે. હાલ 35,902 એક્ટિવ કેસ છે.


કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 651, ગુજરાતમાં 396, મધ્યપ્રદેશમાં 185, દિલ્હીમાં 65, આંધ્રપ્રદેશમાં 36, આસામમાં 1, બિહારમાં 4, ચંદીગઢમાં 1, હરિયાણામાં 7, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 29, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 27, રાજસ્થાનમાં 92, તમિલનાડુમાં 35, તેલંગાણામાં 29, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 60 અને પશ્ચિમ બંગાળમાં 144 લોકોના મોત થયા છે.

સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 16,758 પર પહોંચી છે. ગુજરાતમાં 6625, દિલ્હીમાં 5532, મધ્યપ્રદેશમાં 3138, રાજસ્થાનમાં 3317, તમિલનાડુમાં 4829, ઉત્તરપ્રદેશમાં 2998, આંધ્રપ્રદેશમાં 1777, તેલંગાણામાં 1107, પશ્ચિમ બંગાળમાં 1456  સંક્રમિતો નોંધાયા છે.