ઘણા લોકો માટે વિદેશ પ્રવાસ સલામત અને સકારાત્મક અનુભવોથી ભરપૂર હોય છે, પરંતુ કમનસીબે કેટલાક પ્રવાસીઓ માટે વસ્તુઓ સારી રીતે ચાલતી નથી. આવી સ્થિતિમાં, ઑસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ હિસ્ટોરિકલ એન્ડ ફિલોસોફિકલ ઇન્ક્વાયરીના સહાયક પ્રોફેસર ઇયાન કેમિશે સમજાવ્યું હતું કે, જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એમ્બેસી તમને શું મદદ કરશે અને શું નહીં કરે.


વિદેશોમાં કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે ?

ઇયાન કેમિશે કહ્યું હતું કે, જ્યારે મુશ્કેલી આવે છે, તે કોઈપણ રીતે આવે છે. કેટલાક તેમના પાસપોર્ટ ગુમાવે છે અને કેટલાક નાની ચોરીનો શિકાર બને છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલાકને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને કેટલાકની ધરપકડ પણ થાય છે. આવા સંજોગોમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ (DFAT)ની રાજદ્વારી સેવા મદદ કરે તેવી અપેક્ષા છે. પરંતુ જ્યારે આપણે આપણો દેશ છોડીએ છીએ ત્યારે તે જાણવું જરૂરી છે કે આપણી જવાબદારીઓ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે. આપણે આપણી સરકાર પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ અને જોખમો ઘટાડવા આપણે પોતે શું કરી શકીએ?

દૂતાવાસ આવા કિસ્સાઓમાં ખુલ્લેઆમ કરે છે મદદ

2000ના દાયકાની શરૂઆતમાં રાજદ્વારી સેવાના વડા તરીકે, હું (ઇયાન કેમિશ) જાણું છું કે, વિદેશમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ સાથે સંકળાયેલા કેસોની કોઈ મર્યાદા નથી. આમાંના કેટલાક કિસ્સાઓ સમાચારમાં ચમકે છે. જેમ કે પાપુઆ ન્યુ ગિનીમાં ગુનાહિત ટોળકી દ્વારા ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદ્વાનનું તાજેતરમાં અપહરણ અથવા તુર્કી અને સીરિયામાં વિનાશક ધરતીકંપ કે જેણે ઓસ્ટ્રેલિયનો અને તેમના પરિવારોને અસર કરી છે. આ એવી બાબતો છે જેમાં આપણા રાજદ્વારીઓને સખત સંઘર્ષ કરવો પડ્યો છે, પરંતુ તેમનું કામ આના કરતાં ઘણું વધારે છે.

દૂતાવાસ આ બાબતોમાં મર્યાદિત મદદ કરે છે

જૂન 2021-22 સુધીમાં દરરોજ સરેરાશ ચાર ઓસ્ટ્રેલિયનોની વિદેશમાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે ઇમિગ્રેશન ભંગથી માંડીને ડ્રગના ગુનાઓ, ચોરી અને છેતરપિંડી જેવા કેસોમાં દરરોજ સરેરાશ બે ઓસ્ટ્રેલિયનોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ મળીને તે વર્ષે લગભગ 16,000 ઓસ્ટ્રેલિયનો મુશ્કેલીમાં હતા તેઓ મદદ માટે સ્થાનિક ઓસ્ટ્રેલિયન વિદેશી મિશન તરફ વળ્યા. આમાં કોવિડ દરમિયાન વિદેશી બાબતો અને વેપાર વિભાગના પ્રયાસો દ્વારા ઑસ્ટ્રેલિયામાં પાછા મોકલવામાં આવેલા લોકોનો સમાવેશ થતો નથી. છેલ્લા ત્રણ વર્ષમાં આવા લોકોની સંખ્યા 62 હજારથી વધુ છે.

દરેક દેશ પોતાના નાગરિકોને રાજદ્વારી મદદ કરે

ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારકો વિશ્વાસ રાખી શકે છે કે, તેઓ રાજદ્વારી સેવા દ્વારા આ પરિસ્થિતિઓમાં મદદ મેળવી શકે છે. પરંતુ તાજેતરના દાયકાઓમાં પ્રવાસીઓની અપેક્ષાઓ વધી છે. અંશતઃ આ એટલા માટે હોઈ શકે છે કારણ કે, આપણે વધુ ઝડપથી પ્રતિક્રિયા આપવાનું વલણ ધરાવીએ છીએ અને સોશિયલ મીડિયા દ્વારા અમને લોકો પાસેથી વધુ ઝડપથી પ્રતિસાદ મળે છે. એક તરફ મોટાભાગના ઓસ્ટ્રેલિયનો સ્વનિર્ભર પ્રવાસીઓ છે, પરંતુ ઘણા હજુ પણ નથી.

મુસાફરો કેવી બેદરકારી દાખવે

સૌથી અગત્યનું, ઘણા લોકો પાસે હજુ પણ યોગ્ય મુસાફરી વીમો નથી. કેટલાક લોકો સત્તાવાર મુસાફરીની ચેતવણીઓને અવગણે છે અને પછી જ્યારે વસ્તુઓ ખરાબ થાય છે ત્યારે મદદ માટે સરકાર તરફ વળે છે. આ બધા સિવાય જ્યારે કોઈ વ્યક્તિની વિદેશમાં ધરપકડ થાય છે, ત્યારે અપેક્ષાઓ થોડી વધી જાય છે.

રાજદ્વારી સહાયની મર્યાદા શું

આ સ્થિતિમાં રાજદ્વારી સેવા આવી બાબતોમાં કેટલી હદે મદદ કરી શકે છે અને તેની મર્યાદા શું છે તે જાણવું જરૂરી છે. રાજદ્વારી સંબંધો પર વિયેના સંમેલન આ બાબતોમાં ઓસ્ટ્રેલિયન રાજદ્વારી સેવાની વાસ્તવિક મર્યાદા નક્કી કરે છે. તે જણાવે છે કે રાજદ્વારી સેવા સમયાંતરે વિદેશમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓ પર ફોલોઅપ કરશે, તેમને સ્થાનિક કાનૂની પ્રતિનિધિત્વ માટે માર્ગદર્શન આપશે અને તેમના ટ્રાયલ પર નજર રાખશે. તેના વિશે એટલું જ કહેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં જેલમાં બંધ વિદેશીઓને પણ આ લાગુ પડે છે.

સરકાર ક્યારે સામેલ થાય

કેટલીકવાર કોઈ વ્યક્તિ સામે મનસ્વી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો છે અથવા તેની સાથે અન્યાય થયો છે તેવી ખાતરી થયા પછી આપણી સરકાર તે વ્યક્તિને મુક્ત કરવાની માંગ કરે છે. ગયા વર્ષે છૂટેલા મ્યાનમારના રાજકીય કેદી સીન ટર્નેલના કિસ્સામાં આ જોવા મળ્યું હતું. ટર્નલથી વિપરીત વિદેશમાં જેલમાં બંધ મોટાભાગના ઓસ્ટ્રેલિયનોએ તેમની સામેના કેસ માટે જવાબ આપવો પડે છે.

આ ત્રણ રીતે વિદેશ પ્રવાસને સરળ બનાવો

એટલા માટે સુરક્ષિત મુસાફરી માટે ત્રણ રસ્તાઓ આપવામાં આવ્યા છે, જેને અમલમાં મૂકીને મુશ્કેલ પરિસ્થિતિને ટાળી શકાય છે. સૌપ્રથમ તમે ક્યાં જઈ રહ્યા છો તેની જાણ થવી જોઈએ. ઓસ્ટ્રેલિયન નાગરિકોની જવાબદારી છે કે તેઓ જ્યાં જવાની યોજના ધરાવે છે ત્યાં શું સ્થિતિ છે. યુક્રેન અને અન્યત્ર ચાલી રહેલા સંઘર્ષની અસર પ્રવાસીઓ પર હવામાનની ઘટનાઓ અને કુદરતી આફતો જેવી જ પડી છે.

બીજું, પ્રવાસીઓએ તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેવું જોઈએ. અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા અને 2002ના બાલી બોમ્બ ધડાકા દરમિયાન મદદ કરનાર રાજદ્વારીઓમાં હું પણ હતો. અમને જાણવા મળ્યું કે કેટલાક લોકોના પરિવારોને ખબર નથી કે તેઓ સુરક્ષિત છે કે નહીં.

ત્રીજું, પ્રવાસીઓએ બીજી વસ્તુ કરવી જોઈએ તે છે મુસાફરી વીમો મેળવવો. કેટલાક લોકો માને છે કે વીમો લેવાનો અર્થ ફ્લાઇટ કેન્સલેશન અથવા વ્યક્તિગત સામાનની ચોરીના કિસ્સામાં પોતાને નુકસાનથી બચાવવા માટે છે. પરંતુ જો તમે બીમાર પડો અથવા ઘાયલ થાઓ અથવા વિદેશમાં મૃત્યુ પામો, તો વીમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

માત્ર સરકાર અથવા દૂતાવાસ પર આધાર રાખશો નહીં

તેથી વિદેશમાં મુસાફરી કરતી વખતે તમારી સલામતી માટે સરકાર અથવા રાજદ્વારીઓ પર ક્યારેય સંપૂર્ણ નિર્ભર ન રહો અને તમારી જવાબદારીઓને પ્રામાણિકપણે નિભાવીને મુસાફરીની યોજના બનાવો. તેનાથી તમારી મુસાફરી પણ સુરક્ષિત રહેશે અને સરકારની ચિંતાઓ પણ ઓછી થશે.