શ્રીનગર: ઉત્તર કાશ્મીરના હંદવાડા જિલ્લામાં સુરક્ષા દળે હિજબૂલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કર્યા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, હંદવાડાના સતગુંડમાં વાની સહિત બે અન્ય આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. તેના બાદ સેનાએ ગુરુવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારે સવારે આંતકીઓ સાથે અથડામણ થઈ હતી.


પોલીસ અને સુરક્ષ દળ જ્યારે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યારે તેના પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેના બાદ અથડામણ શરૂ થઈ હતી જે લગભગ 11 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીનો પીએચડીનો વિદ્યાર્થી વાની આ વર્ષેજ જાન્યુઆરીમાં આતંકી સંગઠન સાથે જોડાયો હતો.