Pradhan Mantri Awas Yojana: PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. મોદી સરકારે પીએમ આવાસ યોજનાને બે વર્ષ માટે લંબાવી છે. આવી સ્થિતિમાં હવે લોકો આ યોજનાનો લાભ વર્ષ 2024 સુધી મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ યોજના હેઠળ કુલ 122 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 65 લાખ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ બાકી રહેલા મકાનોનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવશે. આ પછી આ મકાન ટૂંક સમયમાં લાભાર્થીઓને આપવામાં આવશે.


શું છે પીએમ આવાસ યોજના?


પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ યોજના દ્વારા વિધવાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST) ના લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે. આ ઘરોમાં પાણી કનેક્શન, શૌચાલય અને વીજળી વગેરે જેવી ઘણી મૂળભૂત સુવિધાઓ હોય છે.


કેટલી આવક ધરાવનારા આ યોજનાનો લાભ લઈ શકે છે?


પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે સરકારે 3 આવક સ્લેબ બનાવ્યા છે. પ્રથમ કેટેગરી એવી છે જેમાં લોકોની આવક 3 લાખથી ઓછી છે, બીજી કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમાં આવક 3 થી 6 લાખની વચ્ચે છે. ત્રીજી કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમાં તેમની આવક 6 થી 12 લાખની વચ્ચે છે. આમાં સરકાર કુલ ત્રણ હપ્તામાં પૈસા આપે છે. પહેલો હપ્તો 50 હજાર રૂપિયા, બીજો હપ્તો 1.50 લાખ રૂપિયા અને ત્રીજો હપ્તો 2.50 લાખ રૂપિયા છે.


 


યોજનાની અરજીની રીત


યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ pmaymis.gov.in ની મુલાકાત લો.


પછી  'Citizen Assessment'નો વિકલ્પ પસંદ કરો.


આગળ તમારો આધાર નંબર દાખલ કરો.


ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરો.


આ અરજી સબમિટ કરો.


ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લો અને તેને તમારી પાસે રાખો.


 


PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય


KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....


આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...


Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........