નાગપુરઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનો વચ્ચે કેન્દ્રિયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે લઘુમતીઓ વિરુદ્ધ નથી. નાગપુરમાં યોજાયેલી નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે, હિંદુત્વ કોઇના વિરોધમાં નથી. ફક્ત ભારત જ હિંદુઓને શરણ આપી શકે છે. નીતિન ગડકરીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરોધમાં નથી. ભારતે તમામને અપનાવ્યા છે.


ગડકરીએ કહ્યુ કે, CAA લઘુમતિઓ વિરોધમાં લાવેલો કાયદો નથી. આ કાયદો કોઇ પણ મુસ્લિમ ભાઇને નુકસાન નહી પહોંચાડે. અમે સલમા આગા અને અદનાન સામીને નાગરિકતા આપી છે. હું દાવે સાથે કહી શકું છું કે સીએએથી કોઇ પણ મુસ્લિમોને કોઇ ખતરો નથી. આ કાયદો લઘુમતિઓ વિરુદ્ધમાં નથી. એટલા માટે આગળ આવો અને આ કાયદાને લઇને જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે તેને સમજો અને તેનાથી દૂર રહો.