આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, આ કૌભાંડનું મુખ્યમંત્રી ઓફિસ સાથે કનેક્શન છે. આ આરોપ બાદ યોગી આદિત્યનાથે આ અંગેની તપાસ માટે એક એસઆઇટી બનાવી દીધી હતી. મુખ્યમંત્રીએ એસઆઇટીને દસ દિવસની અંદર તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. તપાસના દાયરામાં અનેક જિલ્લાના ડીએમ અને સીનિયર આઇએએસ અધિકારીઓ છે.
યોગી સરકારે અધિક મુખ્ય સચિવ રેણુકા કુમારને એસઆઇટીના ચીફ બનાવ્યા છે. તેમની છબિ ઇમાનદાર અધિકારીની છે. જ્યારે તબીબી શિક્ષણ વિભાગના સચિવ અમિત ગુપ્તા, નગર વિકાસ મંત્રાલયના સચિવ વિકાસ ગોઠલવાલને સભ્ય બનાવામાં આવ્યા છે.