લખનઉઃઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને યોગી સરકારે એક મોટો ફેંસલો કર્યો છે. નવા નિયમો અનુસાર, હવે રાજ્યમાં ઓફિસો અને માર્કેટ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ સુધી જ ખુલ્લા રહેશે. શનિવાર અને રવિવારે બધુ પુર્ણ રીત બંધ રહેશે.


જોકે, બંધ દરમિયાન આવશ્કયક વસ્તુઓ અને સેવાઓ મળવાનુ ચાલુ રહેશે. જો આ સંક્રમણમાં કંઇપણ કમી આવે છે તો આ નિયમ આગળ પણ ચાલુ જ રહેશે.

ઉત્તર પ્રદેશમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન ચાલુ થઇ ચૂક્યુ છે. આ લૉકડાઉન અંતર્ગત માત્ર એસેન્સિયલ સર્વિસીઝ સાથે જાડાયેલા લોકો જ બહાર નીકળી શકશે.

55 કલાકના લૉકડાઉનની અસર હવે માર્કેટમાં દેખાવવાની શરૂ થઇ ચૂકી છે. નોઇડા સહિત ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના શહેરોના મોટા બજારો પુરેપુરા બંધ છે. માત્ર જરૂરી વસ્તુઓ માટેની જ દુકાનો ખુલ્લી છે. લૉકડાઉનનુ યોગ્ય રીત પાલન થાય તે માટે મોટા પ્રમાણમાં પોલીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે.