Uttarakhand Glacier Collapse: ટનલમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા, મૃત્યુઆંક 40 પર પહોંચ્યો, હજુ 166 લોકો લાપતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2021 09:01 AM (IST)
ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના બાદ હજુ પણ 166 લોકો ગુમ છે, જેઓની શોધખોળ ચાલી રહી છે.
નવી દિલ્હી: ઉત્તરાખંડના તપોવનમાં ગ્લેસિયર તૂટવાની દૂર્ઘટના બાદ બચાવ કાર્યનો આજે 8મો દિવસ છે. 7 ફેબ્રુઆરીથી તપોવનની જે ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાંથી વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદહોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીપી અશોક કુમારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. 166 લોકો હજુ પણ લાપતા ઉત્તરાખંડની ઋષિગંગામાં આવેલા બરફના તોફાન અને પાણીના સ્તરમાં થયેલા વધારાને કારણે જનજીવન અને સંપત્તિને મોટું નુકસાન થયું છે. દુર્ઘટના બાદ વહીવટીતંત્ર હજુ પણ ગુમ થયેલા 166 લોકોની શોધખોળ કરી રહ્યાં છે. આ દુર્ઘટનામાં રસ્તા તૂટી જવાના કારણે સરહદી વિસ્તારના 13 ગામોના 360 પરિવારો અસરગ્રસ્ત થયા છે. આ ગામોમાં રાશન કીટ, મેડિકલ ટીમ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ સતત મોકલવામાં આવી રહ્યા છે. ઋષિગંગા નદી પર બનેલા એક અસ્થાયી તળાવમાંથી પાણી આવવાનું શરૂ થયું છે. હવે આ વિસ્તારમાં વધુ એક પૂરનું જોખમ ઓછું થઈ ગયું છે.