નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે મૃતકોની સંખ્યા વધીને 26 થઈ છે. ઘટના બાદ તબાહીમાં આશરે 2000 કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વાત કરી છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલું છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના મુજબ 197 લોકો લાપતા છે.


ત્રિવેંદ્ર સિંહ રાવતે જોશીમઠનનો પ્રવાસ કર્યો. તેમણે કહ્યું, એનડીઆરએફ, આર્મી અને એસડીઆરએફનો સંયુક્ત પ્રયાસ ચાલી રહ્યો છે. એનટીપીસીને દોઢ હજાર કરોડનું નુકસાન થયું છે. ઋષિ ગંગા પ્રોજેક્ટ 858 કરોડ રૂપિયાનો હતો. આશરે 2000 કરોડનું નુકસાન થયું છે.

આ સાથે જ તેમણે સોમવારે તપોવનમાં આઈજી, ડીઆઈજી, ડીએમ, એસપી,આર્મી, ઈટીબીપી, બીઆરઓના વરિષ્ઠ અધિકારીઓ અને એનટીપીસીના પ્રોજેક્ટ ઈન્ચાર્જ અધિકારીઓ સાથે બેઠકમાં રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરી હતી. સાથે જ ડીએમને સમય-સમય પર મીડિયાને બ્રીફિંગ કરવાના નિર્દેશ આપ્યા એટલે ખોટા સમાચાર ન ફેલાય.