Uttarkashi Tunnel Rescue LIVE: ફરી શરૂ થયું રેસ્ક્યૂ ઓપરેશન, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ પહોંચ્યા

Uttarkashi Tunnel Rescue Operation: સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે

gujarati.abplive.com Last Updated: 23 Nov 2023 12:02 PM

બ્રેકગ્રાઉન્ડ

Uttarkashi Tunnel Rescue Operation: ઉત્તરકાશી ટનલમાં ચાલી રહેલા રેસ્ક્યૂ ટીમના સભ્ય હરપાલ સિંહે દાવો કર્યો હતો કે ટનલની અંદર ફસાયેલા કામદારો ગુરુવારે (23 નવેમ્બર) સવારે 8 વાગ્યા સુધીમાં બહાર આવી...More

PM મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને કર્યો ફોન

સીએમ ધામીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આજે ​​ફોન કરીને ઉત્તરકાશીના સિલક્યારામાં ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનની માહિતી લીધી હતી. તેમણે પીએમ મોદીને કેન્દ્રીય એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને રાજ્ય પ્રશાસન સાથે સંકલન કરીને યુદ્ધના ધોરણે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડા પ્રધાનને સ્થળ પર જ કામદારોની સારવાર અને સંભાળ માટે ડૉક્ટરોની ટીમ, એમ્બ્યુલન્સ, અને અસ્થાયી હોસ્પિટલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિશે પણ જાણ કરવામાં આવી હતી અને કોઈપણ કટોકટીના કિસ્સામાં AIIMS ઋષિકેશના ડૉક્ટરોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી.