ભારતમાં મહામારીની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન જરૂરી છે, વર્ષના અંતે બધા જ લોકોને વેક્સિનેટ કરવા માટે દેશને કુલ 1.88 બિલિયન ડોઝની જરૂર છે. 


2021 ના ​​અંત સુધીમાં તેની પુખ્ત વસ્તીની રસીકરણના લક્ષ્યાંકને પહોંચી વળવા, ભારતે કુલ 1.88 અબજ ડોઝ આપવાની જરૂર છે. તેમાંથી 1.67 અબજ આપવાનું બાકી છે. તે દર્શાવે છે કે દેશને જૂનથી દર મહિને 23.8 મિલિયન ડોઝ આપવાની જરૂર છે. માહિતી અનુસાર, ભારતે 2021 ના ​​અંત સુધીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો સહિત દરેકને રસી આપવા માટે જૂનથી ડિસેમ્બર સુધીમાં 2.51 અબજ ડોઝ અથવા જૂનથી દર મહિને 359 મિલિયન ડોઝ આપવાની જરૂર છે. , 31 મે સુધી, દેશમાં 21.5 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જે કોઈપણ દેશમાં વહેંચાયેલ કુલ ડોઝની ત્રીજી સૌથી વધુ સંખ્યા છે. કોવિન ડેશબોર્ડ મુજબ, ભારતે દરરોજ લોકોને 3.8 મિલિયન ડોઝ આપ્યા છે. હવે જૂન મહિનામાં સરકારે કહ્યું છે કે 120 મિલિયન ડોઝ આપવામાં આવશે, એટલે કે એક દિવસમાં ચાર મિલિયન ડોઝ આપવામાં આવશે.



ડિસેમ્બર સુધીમાં ભારતીયનો લગાવવામાં આવશે વેક્સિન
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  ભારત ડિસેમ્બર સુધીમાં તેની સમગ્ર  જનસંખ્યાને રસી આપવાની યોજના ધરાવે છે.  આ માટે જૂન મહિનાથી તેને દર મહિને 23.8 મિલિયન ડોઝની જરૂર પડે છે, ભારત આવતા મહિને ધીમી દરે આ લક્ષ્યાંક સુધી પહોંચ્યું છે. અને માત્ર 120  મિલિયન ડોઝ જ ઉપલબ્ધ થવાની શક્યતા છે. 


જુલાઇ ઓગસ્ટમાં દર મહિને અપાશે 10 મિલિયન ડોઝ 
સરકારે મંગળવારે  આ મુદ્દે જાણકારી આપતાં જણાવ્યું કે,  જુલાઇ અને ઓગસ્ટમાં દરરોજ 10 મિલિયન ડોઝ ઉપલબ્ધ થઇ શકે છે  પરંતુ નામનાવામાં આવી રહ્યું છે કે, પ્રતિદિન 50 લાખ  ડોઝની દરે દેશના દરેક વયસ્કને કવર કરી શકાશે, અવાત મહિના 27 એપ્રિલ સુધીમાં પુરી આબાદીને વેક્સિનેટ કરવા માટે ઓક્ટોબર 202 સુધીનો સમય લાગશે.. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.