વારાણસી: વારાણસીમાં શનિવારે રાજઘાટ પુલ પાસે જયગુરૂદેવના આયોજીત એક કાર્ટક્રમમાં બપોરે દોઢ વાગ્. આસપાસ ભાગદોડ મચતા આશરે 18 લોકોના મૃત્યું થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાર અનેક લોકો ધાયલ થયા છે. હાલ આ પ્રાથમિક સુચના છે, કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમના સ્થળ પાસે ગંગાજીનો પુલ હતો તેમાં ધણા લોકો પડી ગયા છે.


ચંદૌલી અને વારાણસી વચ્ચે ગંગા પુલ પાસે ભાગદોડમાં પ્રશાસન તરફથી ડીઆઈજી લો એંડ ઓર્ડરે 12 લોકોના મૃત્યુંની વાત કરવામાં આવી છે, જ્યારે 18 લોકોના શબને રામનગર હોસ્પિટલમાં પ્રશાસન દ્વારા પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ધાયલોની સંખ્યામાં વધારો થતો જાય છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય માટેની વાત કરવામાં આવી છે, પરંતુ ભારે ભીડને કારણે એંબ્યૂલંસને સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે. ભાગદોડની ધટના બાદ એંબ્યૂલંસ અને ડૉક્ટરોની ટીમ ધટના સ્થળ પર છે.