આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી ચીફ ચંદ્રબાબૂ નાયડુ અમરાવતીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ભાવુક થયા અને રડવા લાગ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રબાબૂ નાયડુ વ્યક્તિગત ટીપ્પણીઓથી પરેશાન હતા. ટીડીપીએ એક નિવેદનમાં કહ્યું, તેમણે વિધાનસભાની તુલના કૌરવ સભા સાથે કરી અને વાઈએસઆરસીપીના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા ચરિત્ર હનનના વિરોધમાં 2024 સુધી તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ચંદ્રબાબૂ નાયડુએ પ્રતિજ્ઞા લેતા કહ્યું જ્યાં સુધી સત્તામાં પરત નહી ફરે ત્યાં સુધી વિધાનસભામાં પગ નહી મૂકે.