નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી બાબરી મસ્જિદ મુદ્દે સુપ્રીમ કોર્ટે તેનાચુકાદામાં બહુ મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાબરી મસ્જિદ તૂટી તેના પગલે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બાંધવા માટે વૈકલ્પિક જમીન આપવી જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, કેન્દ્ર સરકાર મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન કોઈ અન્ય સ્થળે આપે. અયોધ્યામાં બાબરી મસ્જિદ 6 ડીસેમ્બર, 1992ના રોજ ધરાશાયી થઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે આ વિવાદાસ્પદ જમીન ત્રણ હિસ્સામાં વહેંચી હતી પણ સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને અયોગ્ય ગણાવીને માત્ર બે પક્ષકારોને જમીનના દાવેદાર માન્યા છે.