મોદીએ કહ્યું હતું કે, તમે મારા પર ગુસ્સો કાઢીને ઘરમાં અત્યંત ખુશીથી સમય વિતાવતો હશો. તમને આ આનંદ મળે છે તેના માટે હું કામમાં આવ્યો તેને મારું સૌભાગ્ય સમજું છું, હું ઈચ્છું છું કે, આ આનંદ તમને સતત મળતો રહે. ચર્ચા કરતા રહો, લગાતાર ચર્ચા કરતા રહો, ગૃહને જીવંત રાખો.
યહ આનંદ લેતે રહીએ, મોદી હૈ તો મૌકા લીજિયે.
મોદીની આ વાત સાંભળીને રાજ્યસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં લગભગ 13-14 કલાક સુધી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. હું બધાનો આભાર માનું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ સભ્યો હાજર રહ્યા હોત તો લોકશાહીની ગરિમા હજી વધી જાત. રાષ્ટ્રપતિના ભાષણની તાકાત એટલી હતી કે, ઘણા લોકો ન સાંભળતા છતાં ઘણા બોલી શકયા. તેના પરથી ભાષણનું મૂલ્ય આંકી શકાય છે.