ભોપાલ: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ભોપાલ સેંટ્રલ જેલથી ફરાર થયેલા સિમીના આતંકીઓના એકાઉંટર પર સવાલ ઉઠાવ્યા છે અને સરકારે ઘેરવાનો પ્રયાસ કર્યા છે. તેમને કહ્યું કે હંમેશાં મુસ્લિમ કેદીઓજ જેલ તોડીને કેમ ભાગે છે કોઈ હિંદુ કેદીઓ કેમ ભાગતા નથી. દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું કે શું કારણ છે કે ખંડવાથી બહાર નિકળે છે તો સિમીના મુસલમાન છોકરાઓ નીકળે છે કોઈ હિંદુ કેમ નિકળતો નથી. ભોપાલમાંથી પણ મુસ્લિમ છોકરાઓ ભાગે છે હિંદુ નથી ભાગતા.


આ તમામ વાતો વચ્ચે કેંદ્રીય મંત્રી વૈંકેયા નાયડૂએ દિગ્વિજય સિંહના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમુક લોકો સુરક્ષાના મુદ્દા પર ગંદી રાજનીતિ કરી રહ્યા છે જે યોગ્ય નથી. અમુક લોકો આ મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપવની કોશિશ કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ્યારે ઓડિશામાં નક્સલી ઠાર મરાયા હતા. ત્યારે કોઈએ તેમનો ધર્મ પૂછ્યો નહોતો. સાથે કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દિગ્વિજય સિંહના નિવેદન પર સોનિયા ગાંધીનો જવાબ માંગ્યો છે. તેમને પૂછ્યું છે કે દિગ્વિજય સિંહ જે કહી રહ્યા છે તે કોંગ્રેસનું સત્તાવાર નિવેદન છે. સાથે તેમને તમામ રાજનૈતિક પક્ષો સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર એકજૂથ થવાની અપીલ કરી છે.