નવી દિલ્લીઃ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે, મધ્ય પ્રદેશ પોલીસે ઉચ્ચ સુરક્ષા વાળી ભોપાલ મધ્યસ્થ જેલમાંથી ભાગેલા 8 સભ્યોને એટલા માટે મારી નાખવામાં આવ્યા છે કમે કે, પોલીસને ડર હતો કે તે તેમના વિરુદ્ધ  મોટો ખુલાસા કરી દેશે.


કૉંગ્રેસ મહાસચિવે હિંદીમાં ટ્વીટ કરીને આ ઘટનાની અદાલતની દેખરેખમાં એનઆઇએ તપાસની માંગ કરી અને જેલના કામકાજની ન્યાયિક તપાસની વકાલત કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ફક્ત સિમીના સાથે જોડાયેલા કેદી જ ભાગવામાં કેમ સફળ રહ્યા. મધ્ય પ્રદેશ પોલીસે 8 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. તેમણે એ પણ પુછ્યું કે, સિમીના સભ્યો પાસે હથિયાર હતા કે નહી.

સિંહે દાવો કર્યો હતો કે, 'જો તેમને જીવીત પકડી પાડવામાં આવ્યા હતો તો તે સમગ્ર ઘટનાની જાણકારી આપી દેત અને ઘટનાક્રમનો ખુલાસો પણ કરી દેત. કદાચ એટલા માટે જ તેમને મારી નાખવામાં આવ્યા છે.