બેંગલુરુ: એક મહિલાએ કથિત રીતે પેટ્રોલનો ઉપયોગ કરીને તેના પતિને આગ લગાવી અને પછી તેના પ્રેમીએ ધોળા દિવસે તેના માથા પર પથ્થર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટના રવિવારે કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના બદ્દીહલ્લી વિસ્તારમાં બની હતી.


મૃતકની ઓળખ નારાયણપ્પા (52) તરીકે થઈ હતી, જે એક ખાનગી પેઢીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો. તેની પત્ની અન્નપૂર્ણા (36) એક મજૂર છે અને તે કથિત રીતે રામકૃષ્ણ (35) નામના ચિત્રકાર સાથે લગ્નેત્તર સંબંધો ધરાવતી હતી. રામકૃષ્ણે ધિરાણ આપવાનો ધંધો કરતો હતો.


નારાયણપ્પા અને અન્નપૂર્ણાએ રામકૃષ્ણ સાથેના તેના કથિત અફેરને લઈને ઘણીવાર ઝઘડો કર્યો હતો. આવી જ એક દલીલ રવિવારે દંપતી વચ્ચે થઈ અને બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન અન્નપૂર્ણાએ ગુસ્સામાં આવીને નારાયણપ્પાને પેટ્રોલનો ઉપયોગ કરીને આગ લગાવી લગાવી દીધી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રામકૃષ્ણ ઘટનાસ્થળ પર હાજર બતો.


નારાયણપ્પાને આગ લગાવ્યા પછી તે ઘરની બહાર દોડી ગયો હતો. આગને બુઝાવવા માટે તે નજીકમાં એક નાળામાં પડી ગયો. જ્યારે તે નાળામાંથી બહાર આવવાનો પ્રયાસો કરી રહ્યો હતો, ત્યારે રામકૃષ્ણે તેના માથા પર એક પથ્થર ફેંક્યો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું.


આ ઘટના બાદ પોલીસે અન્નપૂર્ણા અને રામકૃષ્ણની ધરપકડ કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે દંપતીની ત્રણ નાની પુત્રીઓ ઘરમાં હાજર હતી. સૌથી મોટી પુત્રી, જેની ઉંમર 14 વર્ષની છે, તેણે તેના પિતાને માર્યા ગયાની સાક્ષી આપી હતી જ્યારે અન્ય બે પુત્રીઓ, જે 12 વર્ષની જોડિયા છે, એક રૂમમાં હતી.


DSP નો મહિલા કોન્સ્ટેબલ સાથે અશ્લીલ વીડિયોને લઈ થયો મોટો ખુલાસો, બંને વચ્ચે.....


સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ,  એરફોર્સ, NDRF, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી