નવી દિલ્હીઃ નોએડાના સૂરજપુર વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની ચાકુઓ મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. જાણકારી મળવા પર પોલીસે મહિલાને નજીકની હોસ્પિટલમાં એડમીટ કરાવી હતી. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ આરોપિ પતિ ફરાર છે. પોલીસ હાલમાં આરોપીની શોધખોળ કરી રહી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર મૂળરૂપે યુપીના શાહજહાંપુરના રહેવાસી આરોપીએ પોતાની પત્નીને કોઇ અન્ય શખ્સ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. તે બાદથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

તેને લઇ વિવાદ એટલો વધી ગયો કે પતિએ ગુસ્સામાં આવીને પત્નીના શરીર પર ચાકુ વડે આશરે 15 વાર કર્યા. તે બાદ આરોપી પતિ તેને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી ગયો. બાદમાં પાડોશીઓ ગંભીર મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પાડોશીઓનું કહેવું છે કે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આરોપી વાસણની દુકાન ચલાવે છે.

પાડોશીએ જણાવ્યું કે આરોપીની એક દિકરી પણ છે અને તે બંનેની સાથે રહે છે. જે સમયે આરોપીએ પત્નીની હત્યા કરી ત્યારે તેની દિકરી ઘરમાં હાજર હતી. તે બાદ જ્યારે તેની દિકરીએ બૂમો પાડવાનું શરૂ કર્યુ તો આસપાસના લોકો એકઠા થઇ ગયા. લોકો એકઠા થતાં જોઇને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો.

પોલીસે જણાવ્યું કે, મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આરોપીની તલાશમાં છે.