Jharkhand Assembly Election 2024: દેશના પૂર્વ નાણા અને વિદેશ મંત્રી યશવંત સિન્હાએ હજારીબાગમાં અટલ વિચાર મંચ રાજકીય પક્ષની રચના કરી છે. તેમણે આ રાજકીય પક્ષની સભ્યપદનું પ્રથમ ફોર્મ ભર્યું અને પક્ષના પ્રથમ સભ્ય બન્યા. હજારીબાગના જૂના BJP કાર્યાલય અટલ ભવનમાં અટલ વિચાર મંચનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. યશવંત સિન્હાએ હજારીબાગમાં જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો પક્ષ તમામ 81 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહ્યો છે. તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.


પ્રામાણિક લોકોને પ્રથમ પ્રાથમિકતા આપશે પક્ષ


પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ (Yashwant Sinha) આગળ કહ્યું કે જે પ્રામાણિક લોકો હશે, પક્ષ તેમને પહેલાં પ્રાથમિકતા આપશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અટલ વિચાર મંચ કોઈ સ્વયંસેવી સંસ્થા કે ફાળો એકત્ર કરવાની પાર્ટી નથી. તે પૂર્ણપણે રાજકીય પક્ષ રહેશે. તેમણે સાદા કાર્યક્રમમાં તેમના પક્ષનો પાયો નાખ્યો છે.


શું પાર્ટી કોઈ બીજી પાર્ટી સાથે ગઠબંધન કરશે કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે એ પ્રશ્ન પર સિન્હાએ કહ્યું કે પહેલાં બધી વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની છે. તે પછી કયું સ્વરૂપ બને છે તે જોઈને તૈયારી કરવામાં આવશે. પક્ષના પ્રથમ કાર્યક્રમમાં તેમનાં પત્ની નીલિમા સિન્હા સહિત ઘણા જૂના BJP કાર્યકરો હાજર રહ્યા.


યશવંત સિન્હાએ આસામના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર


આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પર પણ પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે તેઓ (હિમંત બિસ્વા સરમા) માહોલ ખરાબ કરવા માટે ઝારખંડમાં કેમ્પ કરી રહ્યા છે. ઝારખંડમાં (Jharkhand) રમખાણો થશે અને તેનો લાભ ભારતીય જનતા પાર્ટી (BJP) ઉઠાવી લેશે. આવી સ્થિતિમાં અહીંની સરકારે તેમના પર કેસ કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી પાસે હિંદુ મુસ્લિમ સિવાય કંઈ પણ નથી.


વળી, પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે BJP અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોથી દૂર થતી જઈ રહી છે. જેના કારણે તેમણે એક એવી પાર્ટી બનાવી છે જે અટલ બિહારી વાજપેયીના પદચિહ્નો પર ચાલશે.


આ પણ વાંચોઃ


Haryana Election 2024: હરિયાણામાં કોણ જીતશે કેટલી બેઠકો? નિષ્ણાતોનો સર્વે અને સટ્ટા બજારનો અંદાજ ચોંકાવી દેશે!