Ration Card New Guidelines: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જેમાં મોટાભાગે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપવામાં આવે છે.


સરકારની ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. 1લી નવેમ્બરથી રાશન બંધ થઈ જશે. જાણો આ પાછળનું કારણ.


E KYC જરૂરી છે


રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈ-કેવાયસી  માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.


એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો નવેમ્બર મહિનાથી તેમને  રાશન આપવામાં આવશે નહીં. આવા રાશનકાર્ડ ધારકોના નામ પણ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. ઈ-કેવાયસી વગરના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળી શકશે નહીં.


ઇ-કેવાયસી શા માટે કરવામાં આવે છે?


રાશનકાર્ડ ઈ-કેવાયસીને લઈને લોકોના મનમાં પ્રશ્નો આવી રહ્યા છે. આખરે સરકાર ઈ-કેવાયસી શા માટે કરાવી રહી છે? આવા ઘણા લોકોના નામ હજુ પણ રાશનકાર્ડમાં નોંધાયેલા છે. જે રાશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્ર નથી. તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. જેઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ તેમના નામ રાશનકાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી.


હવે તમામ રાશનકાર્ડ ધારકો એટલે કે પરિવારના રાશનકાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે. જો કોઈ સભ્ય ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેનું નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.


UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો