જયપુરઃ પેગાસસ જાસૂસી કાંડ મામલે (Pegasus spy Case) રાજસ્થાનમાં કોગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું. ધરણા પ્રદર્શન દરમિયાન કોગ્રેસના ધારાસભ્ય (Congress MLa) અને યુથ કોગ્રેસના અધ્યક્ષ (Youth Congress)  ગણેશ ઘોઘરાએ (Ganesh Ghogra) ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) વિરુદ્ધ અનૈતિક ભાષાનો ઉપયોગ કર્યો હતો.


ગણેશ ડોગરાએ રાજ્યપાલ, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અમર્યાદિત ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઘોઘરાએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમારી જાસૂસી કરી રહી છે અને રાજ્યપાલ તેમના દલાલના રૂપમાં અહી બેઠા છે. ગણેશ ઘોઘરા આટલે સુધી રોકાયા નહીં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને રંગા બિલ્લા ગણાવતા કહ્યું કે, આ બંન્નેને દોડાવી દોડાવી ચંપલથી માર મારવો જોઇએ.


ગણેશ ઘોઘલા મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા. તે સમયે પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા, સરકારના મંત્રી, વરિષ્ઠ નેતાઓ હાજર હતા પરંતુ કોઇએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નહી પરંતુ તેમના  ભાષણ પર કાર્યકરો તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.


નોંધનીય છે કે ગણેશ ઘોઘરા કોગ્રેસના ધારાસભ્ય અને યુથ કોગ્રેસના અધ્યક્ષ હોવા છતાં રાજસ્થાનમાં અલગ આદિવાસી સ્ટેટની માંગ કરી ચૂક્યા છે. કોગ્રેસમાં છેલ્લા વર્ષે રાજકીય ધમાસાણ દરમિયાન યુથ કોગ્રેસ અધ્યક્ષ મુકેશ ભાકર પાયલટ કેમ્પમાં જતા રહેવાના કારણે ધારાસભ્ય ગણેશ ઘોઘરા યુથ કોગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.


નોંધનીય છે કે રાજધાની જયપુરમાં આજે કોગ્રેસે પેગાસસ જાસૂસી મામલાને લઇને રાજભવનનો ઘેરાવ કર્યો હતો. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના નેતૃત્વમાં  સિવિલ લાઇન ફાટક પર કોગ્રેસની સભા થઇ હતી.


કોગ્રેસ નેતાના નિવેદન પર વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ પલટવાર કર્યો હતો અને કહ્યું કે, આ મામલામાં કોગ્રેસે જાતે જ સંજ્ઞાન લેવું જોઇએ કે આ શબ્દ બોલવા યોગ્ય છે કે નહીં. તેમણે કહ્યું કે હું વિચારું છું કે ગામડાઓની ગલીઓનું બાળક પણ ઘોઘરા જેવું નહીં બોલે.