નવી દિલ્હી: વિવાદિત ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈક પર કેંદ્ર તરફથી શરૂ કરવામાં આવેલી તપાસનો સંકજો વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. નાઈકના એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉડેશન (IRF) ને વિદેશોમાંથી મળનાર ફંડની તપાસની સાથે તેના એ નિવેદનોની સીડીની પણ તપાસ શરૂ કરી દીધી છે. ઢાકા આતંકવાદી હુમલાના અમુક હુમલાખોર કથિત રીતે તે નિવેદનથી પ્રેરિત હતા.


કેંદ્રએ આ કદમ એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે 50 વર્ષના ઈસ્લામિક ધર્મ પ્રચારકના તે નિવેદનોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે જેના પર વિવાદ થયો હતો.