જામનગર: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાયવા પાસે કાર પલ્ટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે.



રાજકોટથી સોયલ જઈ રહેલા પરિવારની કાર રોડ પરથી નીચે ઉતરી જતાં પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.