Watch: દિલ્લીના મધુ વિહારમાં મોટી દુર્ઘટના, ગલીમાં ચાલતા લોકો પર અચાનક દિવાલ ધરાશાયી

Delhi News: દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનાની અસરમાં આવેલો એક વ્યક્તિ બેભાન થઈ ગયો. ઘટના બાદ લોકો પીડિતાને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

Continues below advertisement

Delhi Latest News:  જીવનની કોઈ ગેરંટી નથી.કોઇ જાણતુ નથી કે ક્યારે શું થઇ જાય. . આવો જ એક મોટો કિસ્સો દિલ્હીના મધુ વિહારમાંથી સામે આવ્યો છે. મામલો એવો છે કે કોલોનીની ગલીમાં ચાલી રહેલા એક વ્યક્તિનું ઉપરથી દિવાલ પડતાં તેનું મોત થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની તસવીરો વિચલિત કરી દેતી છે.

Continues below advertisement

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી આ ઘટનાની માહિતી જાહેર કરી છે. પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સફેદ શર્ટ પહેરેલો એક વ્યક્તિ દિવાલ પડવાની ઘટનાથી અજાણ મધુ વિહારની ગલીમાં ચાલી રહ્યો હતો. અચાનક તેના પર એક દિવાલ પડી અને તે દબાઇ જાય છે.

દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કેટલાય ઘાયલ

દીવાલ માથે પડતા  વ્યક્તિ  બેભાન થઈ જાય છે. આસપાસના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાટમાળ પડી જવાને કારણે અન્ય ઘણા લોકો પણ ઈજાગ્રસ્ત થાય છે.

દિલ્હી મધુ વિહારની આ ઘટના શુક્રવારે રાત્રે (11 એપ્રિલ 2025) મોડી સાંજે બની હતી. મધુવિહારમાં  અકસ્માત બાદ લોકો ડરના માર્યા અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.  દિલ્હીમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જે બાદ દિલ્હીમાં પણ વરસાદ પડ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.                                                                                                                     

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola