આ અંગેની વિગતો એવી છે કે, રમુણ -રામસણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. તપાસ કરતાં મૃતક યુવાન ધાનેરાનો નરપત રાજપૂત હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર યુવાનની લાશ મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આગથળા પોલીસને પરિવારે જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે આવી પહોંચી હતી.
જોકે, યુવકની લાશ અહીં કેવી રીતે પહોંચી તેમજ યુવકની હત્યા થઈ છે કે પછી આકસ્મિત મોત થયું છે, તે અંગે તપાસ પછી વધુ વિગતો સામે આવશે.