મહેસાણાઃ બહુચરાજીના બરીયફ ગામ પાસે કેનાલમાં કૂદીને આપઘાત કરનાર 23 વર્ષીય પરિણીતાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પતિ દ્વારા ખોટો શક કરી પરણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. શંકી પતિએ તો પત્નીને પિયર અને ગામમાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. 


ગત 10મી માર્ચે બહુચરાજીના બરીયફ ગામ નજીક કેનાલમાં કૂદીને 23 વર્ષીય સોનલબાએ આપઘાત કરી લીધો હતો. પાંચ દિવસ પછી પતિ અશ્વિનસિંહ અનારસિંહ ઝાલા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરવામાં આવી છે. પતિ દ્વારા ખોટો શક કરી પરિણીતા પર ત્રાસ ગુજારાતો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો હતો.