પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના મણિભુવન હોસ્પિટલના લોકર માંથી 45 કરોડના કિંમતી આભૂષણની ચોરીના મામલે અંતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પાલનપુર પોલીસે સમગ્ર મામલે 14 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ સંચાલિત પાલનપુરની મણિભુવન હોસ્પિટલમાં રીનોવેશન દરમિયાન 45 કરોડના કિંમતી આભુષણો ગાયબ થયા હતા.


ફરિયાદી પ્રશાંત મહેતાએ કોર્ટનો સહારો લેતા આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં અનેક મોટા બિઝનેસમેનો અને ઉધોગપતિઓના નામ છે. મોટાભાગના આરોપીઓ હાલ મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયેલા છે.