શીયા ગામના 41 વર્ષીય પરિણીતા અને તેમની 15 વર્ષીય દીકરી 3 દિવસ પહેલા પિયર જવા નીકળ્યા હતા. જોકે, બંનેની લાશ રહસ્યમય સંજોગોમાં ખેતરમાંથી મળી આવી છે. ભીલડી પોલીસે બંનેની ઓળખ કરી લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. જોકે, આ વિસ્તારમાં મૃતકોના કોઈ જ સગા સંબંધી ન હોવાથી બંને અહીં કેવી રીતે પહોંચ્યા તેને લઈ પોલીસ મુંજવણમાં મુકાઇ ગઈ છે. બંનેની તેમના આધારકાર્ડને આધારે ઓળખ થઈ હતી.
આ મૃતદેહ ગીતાબેન સરતનભાઇ રબારી (ઉ.વ. 41) અને તેમની પુત્રી મિનલબેન સરતનભાઇ રબારી (ઉ.વ. 15)ના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતુ કે, ગીતાબેન અને પુત્રી મિનલબેન ત્રણ દિવસ અગાઉ ખેડબ્રહ્મા તેમના પિયરમાં જવાનું કહી નીકળ્યા હતા.