બનાસ ડેરીની ચૂંટણીને લઈને સાંસદ પરબત પટેલે શું આપ્યું મોટું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Sep 2020 01:38 PM (IST)
આજે ડીસાથી માવજીભાઈ દેસાઈનું ફોર્મ ભરતી વખતે સાંસદ પરબત પટેલ પણ હાજરી રહ્યા હતા. આ સમયે તેમણે મોટું નિવેદેન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થાય તે માટે પ્રયાસો ચાલુ છે. કોઈ જ વિરોધમાં પેનલ નથી.
પાલનપુરઃ 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે. ત્યારે છેલ્લા 6 દિવસમાં 10 ફોર્મ ભરાયા છે. જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ડીસાથી માવજીભાઈ દેસાઈનું ફોર્મ ભરતી વખતે સાંસદ પરબત પટેલ પણ હાજરી રહ્યા હતા. આ સમયે તેમણે મોટું નિવેદેન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થાય તે માટે પ્રયાસો ચાલુ છે. કોઈ જ વિરોધમાં પેનલ નથી. ફોર્મ ભરાયા બાદ સાથે બેસીને બિનહરીફ થાય તે માટે પ્રયાસો કરીશું. આજે કાંકરેજ બેઠક પર અણદાભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. આ સમયે શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. બનાસ ડેરીમાં ડિરેક્ટરની ચુંટણી માટે ફોર્મ ભર્યું હતું. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્રે અણદાભાઈ પટેલનું મોટું નામ છે. અગાઉ રાધનપુર બેઠકથી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદ બેઠકથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ તેમજ પાલનપુર બેઠકથી પરથીભાઇ ભટોળે ઉમેદવારી નોંધાવી છે. આજે અંતિમ દિવસે બાકી રહેલા તમામ ફોર્મ ભરાસે. માવજી દેસાઈ ફોર્મ ભરી શંકરભાઈ ચૌધરી સામે પેનલ બનાવે તેવી શક્યતા છે.