પાટણઃ જિલ્લાના બાલીસણા ગામે યુવકની લોહિલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. બાલીસણા ગામનાં ટીંડેશ્વર મહાદેવ મંદિર પાસેની અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવી છે. આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કરી કે પછી હત્યા કરવામાં આવી તે કશું જ જાણવા મળ્યું નથી. એટલું જ નહીં, આ યુવક કોણ છે, તે પણ જાણી શકાયું નથી.


બાલીસણામાં અવાવરું જગ્યાએ યુવકની લાશ પડી હોવાની જાણકારી મળતાં બાલીસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે, તે તમામ વિગતો સામે આવશે.