અમદાવાદઃ

  કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં બરફના તોફાનમાં માઇન્સ 35 ડીગ્રી ઠંડીને કારણે થીજી જતાંમોત થયાં એ ઘટના ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે. ગુજરાતીઓ આ રીતે વિદેશ જવાની લાલચમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં જીવ ગુમાવે છે તેની ટીકા પણ થઈ રહી છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલે ચોંકાવનારું નિવેદન કર્યું છે.


નીતિન પટેલે કહ્યું કે, આપણે ત્યાં લોકોને પૂરતી તકો મળતી નથી તેથી ગમે તે રીતે વિદેશ જવા માટે પ્રયત્ન કરે છે તેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં કેનેડામાં બની એ પ્રકારની ઘટના બને છે. નીતિન પટેલે આડકતરી રીતે ભાજપના શસાન પર દોષનો ટોપલો ઢોળ્યો છે કેમ કે ગુજરાતમાં છેલ્લાં પચીસ વર્ષથી ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ છેલ્લાં સાત વરસથી ભાજપની સરકાર છે. 


કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી, જીવના જોખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે.


જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી


 


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


 


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ