Pakistan Air Space: આતંકીઓને આશ્રય સ્થાન આપનારું પાકિસ્તાન ભારત અને કાશ્મીરો સામે નવા નવા પેંતરા અજમવી રહ્યું છે.  ફરી એકવત પાકિસ્તાને ભારત સામે નવી ચાલ ચાલી છે. પાકિસ્તાને ગો ફર્સ્ટની શ્રીનગર-શારજાહ ફ્લાઈટને તેમના એરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ આને દુર્ભાગ્.યપૂર્ણ ગણાવ્યું છે..


સમાચાર એજન્સી એએનઆઈને એક સૂત્રએ જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનના આ ફેંસલા પર ચિંતા વ્યક્ત કરી છે. સંબંધિત મંત્રાલયો પાસેથી આ અંગે જાણકારી માંગવામાં આવી છે. હાલ MoCA, MEA, MHA આ મામલો જોઈ રહ્યા છે.


ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું


પાકિસ્તાનના આ ફેંસલાને લઈ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યું, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, વર્ષ 2009-10માં પણ શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે પાકિસ્તાને આવું જ કર્યુ હતું. મને આશા હતી કે ગો ફર્સ્ટ એરની ફ્લાઇટને એરસ્પેસની મંજૂરી આપવાથી સંબંધોમાં સુધારો આવી શકે છે પરંતુ અફસોસ છે કે આમ ન થઈ શક્યું.


અમતિ શાહે બતાવી હતી લીલી ઝંડી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયન શ્રીનગરથી શારજાહ ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ ફ્લાઇડ ગો ફર્સ્ટે શરૂ કરી હતી. ગો ફર્સ્ટ શ્રીનગર અને શારજાહ વચ્ચે સપ્તાહમાં ચાર ફ્લાઇટનું સંચાલન કરે છે.